Posts

Showing posts from January, 2021

વિદેશોની લાઇફસ્ટાઇલ ભારતની લાઇફસ્ટાઇલ કરતા સારી કેમ છે?

એના માટે તો ગણો એટલા ઓછા એટલા કારણો છે.  પોઇન્ટ 1: અહીં બાળપણ થી જ બાળકો ને શિષ્ઠતા નું પાલન કેમ કરવું એ શીખવાડવામાં આવે છે અને બાળકો પણ મોટા લોકો પાસે થી જોઈ ને શીખે છે એટલે પેલી કહેવત છે ને કે "કુવા માં હોઈ એવું અવેડા માં આવે એના જેવું છે". આપડે ત્યાં આજુ બાજુ નજર કરશો તો સમજાશે કે આપણું જીવન કેવું છે અને પછી આપડા છોકરાવ પણ એ જોઈ ને જ મોટા થઇ એટલે એ પણ જે જોયું છે એ જ અનુશરસે.  અહીં બાળકો ને સ્કૂલ માંથી શીખવાડવા માં આવે છે કે શું કરવું જોઈએ અને શું નહિ. અને બાળકો વડીલો પાસે થી પણ એ જ શીખે છે. અહીં ચોખ્ખાઈ હોવાનું એક કારણ એ પણ છે, લોકો કચરો જ્યાં ત્યાં ફેંકતા નથી અને ઘણા ને તો પર્યાવરણ ને શુદ્ધ કેમ રાખવું એના પર પણ ચિંતન કરતા જોયા છે. અહીં ઘણી વાર કોઈ કચરો રોડ પર દેખાઈ તો બીજા લોકો પણ  ઊંચકીને કચરાપેટી માં નાખી દે છે. આપડે ત્યાં સફાઈ અભિયાન ચાલુ થયું છે એ સૌથી ખુશી ની વાત છે, પણ આપડે ત્યાં હજુ ધાર્મિક રીત રિવાજો એવા છે જે પર્યાવરણ ને નુકશાન પોંહચાડે છે અને એના પર આંગળી ચિંધશો તો તમારો વારો પડી જશે જયારે અહીં એવું કઈ છે નહિ. હા હવે ઘણા નોન જર્મન આવી ગયા છે જે જરા અહીં નું...
શું તમે જર્મની ના આંદેરનાખ માં આવેલ ગીઝર વિશે જાણો છો?? ગીઝર એટલે આમ તો ફુવારો કહી શકાય, પછી એ ઠંડા પાણી નો હોઈ કે ગરમ પાણી નો હોઈ. અને જર્મની માં આવેલું આ ગીઝર અથવાતો ફુવારો એ દુનિયાનું સૌથી ઉંચાઈ સુધી પોંહચતુ ઠંડા પાણી નો ફુવારો છે. આ ફુવારો 30 થી 60 મીટર ની ઉંચાઈ સુધી પોહ્ચે છે.  1903 માં રાઈન નદી ના કિનારે આવેલ આંદેરનાખ કે જે જ્વાળામુખી ગ્રસ્ત વિસ્તાર છે એમાં આ ફુવારો આવેલો છે. 2003 માં આ જગ્યા ને પછી પર્યટન માટે ની જગ્યા બનાવી દીધી અને આ વિસ્તાર ને જ્વાળામુખીપાર્ક  ના નામે ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે 1903 માં આ જગ્યા પર ખનીજ ની શોધખોળ માટે અહીં 343 મીટર નો બોરવેલ બનાવ્યો હતો  જે કાર્બનિક એસિડ ના સંગ્રહ માટે વપરાશ માં લેવાતો. આ જગ્યા એ જ આવું કરવા માટે નું કારણ એ હતું કે અહીં એ સમયે રાઈન નદી ની સપાટી પર પાણી ના પરપોટા જોવા મળ્યાં હતા અને એના પરથી એવું લાગતું હતું કે આ જમીન માં જરૂર કઈંક હશે. પાણી નો દાર કર્યો ત્યારે સૌથી પેલો ફુવારો જે થયો એ 40 મીટર ની ઉંચાઈ સુધી પોહ્ચ્યો હતો. આવા ફોર્સ થી ફુવારો થવો એ બધું ફિજીગ કાર્બન ડાયોકસાઇડ ...

શા માટે જર્મની વિદેશમાં ભણવાનું શ્રેષ્ઠ સ્થળ છે?

 જર્મની શ્રેષ્ઠ છે કે નથી એતો ખ્યાલ નથી પણ સારું એટલા માટે છે કે અહીં ભણતર નો ખર્ચો ખુબ ઓછો છે બીજા બધા દેશો કરતા એટલે અહીં તમે માસ્ટર ડિગ્રી ખુબ ઓછા ખર્ચે મેળવી શકો છો. અહીં યુનિવર્સિટી ને ટેકિનકલ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સ એમ વિભાજીત કરવામાં આવી છે. એટલે તમે તમારી પસંદગી મુજબ ની શાખા પસંદ કરી શકો. મારો અનુભવ જો કવ તો મેં જે યુનિવર્સિટી માં થી અભ્યાસ કર્યો હતો ત્યાં કોલેજ ની ફી ઇન્ડિયા ના 10000 રૂપિયા જેવી હતી એક સેમેસ્ટર ની (હાલ માં અમુક યુનિવર્સિટીઓ એ ફીસ લેવાનું ચાલુ કર્યું છે). અહીં તમને અમુક ફરજિયાત વિષયો સાથે સાથે મરજિયાત વિષયો પણ હોઈ છે અને બધા વિષયો ની અલગ અલગ ક્રેડિટ પોઇન્ટ હોઈ છે અને માસ્ટર પૂરું કરવા માટે અમુક પોઇન્ટ હોવા જરૂરી છે. તમને તમારી મન પસંદ ના વિષયો સિલેક્ટ કરી ને તમે એમાં આગળ વધી શકો છો. અહીં ના પ્રોફેસર ઘણા જ અનુભવી હોઈ છે જર્મન લોકો ની એક ખાસિયત મેં નોંધ કરી એ કે એ લોકો જે એક વિષય પકડી લે પછી એમાં પુરે પુરા આગળ વધે છે એટલે જે તે ફિલ્ડ ના પ્રોફેસર એમની ફિલ્ડ માં નિપુર્ણ હોઈ છે.  અહીં ચોપડીયું જ્ઞાન કરતા પ્રાયોગિક જ્ઞાન પર વધારે ભ...

Spread Awareness

હેપી ન્યૂ યર ,  પણ ખરેખર હેપી છે?? આજ નો આ વિષય જરા મારા નોર્મલ વિષય કરતા અલગ છે. નોર્મલી તો હું ફરવાનું અને જમવાનું એમાજ જ ફરતો રહું છું પણ આજ નો વિષય જરા  ગંભીર અને સમજવા જેવો છે અને તમારા મિત્રો અને ઓળખીતાઓ માં પણ ફેલાવવા જેવો છે. આજ ના આ લેખ માં મારો ભાઈ જે બર્લિન માં રહે છે તેના જોડે થયેલા ખરાબ અનુભવ ની અને તેમના જોડે રહેતા બીજા એક મિત્ર જોડે થયેલા અનુભવ ની વાત છે. પેલી વાત તો એ કે કોઈ પણ દેશ વિશે પૂર્વધારણા બાંધવી એ કદાચ ઉચીત નથી માટે તમારે પોતાની જાત ને હંમેશા સજાગ રાખવી જોઈએ.  અમુક કિસ્સા ઓ જે કદાચ બીજા માટે મદદ રૂપ થઇ શકે: કિસ્સો 1) મારો ભાઈ એક સાંજે કદાચ 10 કે 10:30 જેવો સમય થયો હતો એ એમના મિત્ર જોડે ઘરે બીજા મિત્ર ના ઘરે થી જમી ને પોતાના ઘરે જવા નીકળ્યા અને ઘરે જવા માટે તેમને ટ્રામ (ટ્રેન) લઇ ને જવું પડે. અને સાંજનો સમય અને શિયાળો  એટલે અહીં અંધારું જરા જલ્દી થઇ જાય. અને આવા અંધારા માં ગઠિયા કે લૂંટારુ ઓ વધારે સજાગ થઇ જતા હોઈ છે. હવે તમને એમ થતું હશે કે જર્મની માં પણ આવું હશે કાંઈ એતો કેટલો સધ્ધર દેશ છે અને ત્યાં પોલીસ અને કાયદા કેટલા સખત છે તો કોઈ લૂ...

જર્મની જવાના અને ના જવાના કારણો

જર્મની જવાના અને ના જવાના ઘણા કારણો છે. એ વ્યક્તિગત પર આધારિત હોઈ શકે. હું મારો અભિપ્રાય આપું પેલા તો અને એ જર્મની આવવાના કારણો પર અને પછી વાત કરીશુ ના આવવાના કારણો પર. હું અમરેલી નો છું અને આપડા ગુજરાત માં IT  કે ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડ માં જોબ મેળવી ઘણી મુશ્કેલ છે. તો જર્મની આવવાનું મારુ કારણ હતું કે સસ્તું ભણતર, હું મારુ બેચલર પૂરું કરી ને ઇન્ડિયા માં જોબ શોધતો હતો પણ જોબ મળવી ઘણી મુશ્કેલ છે અને ક્યાં સુધી ઘરના લોકો પર ડિપેન્ડ રેવું. એટલે અલગ અલગ દેશો ઉચ્ચ અભ્યાસ માટે શોધવા માંડયો કે જ્યાં મારે ઓછા ખર્ચે એક સ્વતંત્ર જીવન હોઈ શકે અને પાર્ટટાઈમ જોબ કરતા કરતા ફેમિલી ને પણ સપોર્ટ કરી શકાય. અમેરિકા અને કેનેડા એટલે પાછું ઘર વાળા પર બો મોટો લોડ આવી જાય, ત્યાં સ્ટડી ફી તગડી લે એટલે જર્મની ઉપર રિસર્ચ ચાલુ કર્યું અને અહીં આવેલ સ્ટુડન્ટ લોકો જોડે વાતો કરતા કરતા જાણવા મળ્યું કે અહીં ના આવાનો એક મોટું કારણ અહીં ની ભાષા છે એ તમારે શીખવી પડે બાકી તમે સોશ્યલી કનેક્ટ થવા માં મુશ્કેલી આવે. એટલે વિચાર્યું કે શીખી લેશુ એમ વિચારી ને અહીં 2011 માં આવ્યા. અત્યારે સ્ટડી પૂરું કરી ને જોબ કરું છું તો અ...

ઇલ્ત્ઝ (Eltz ) કિલ્લો

ઇલ્ત્ઝ (Eltz )  કિલ્લો  એ મધ્યયુગીન કિલ્લો છે જે મોઝેલ નદીની ઉપરની ટેકરીઓમાં કોબેન્ઝ અને ટાયર નામ ના શહેર જે જર્મનીની માં આવેલ છે એની વચ્ચે સ્થિત છે.  તે હજી પણ તે જ પરિવારની શાખાની માલિકીની છે જે 12 મી સદીમાં ત્યાં રહેતી હતી. એટલે આ કિલ્લા માં તેને બાંધનાર નો પરિવાર જ રહે છે. પણ આ કિલ્લા ની મુલાકાત તમે લઇ શકો છો. આ કિલ્લો જર્મનીના સૌથી સુંદર કિલ્લાઓમાં ગણવામાં આવે છે. કોરોનાને કારણે પ્રવેશ શક્ય ન હતું, પરંતુ તેની આસપાસના પર્વતો, નદી અને લીલાછમ જંગલો આ કિલ્લા નું સ્થાન અદભુત નજારાઓ થી ભરી દે છે. મિત્રો અને પરિવાર સાથે તમારો દિવસ વિતાવવાની ઘણી સંભાવનાઓ છે. આ જગ્યા ની માહિતી વિડિઓ ના ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલ છે.  જો તમને આ વિડિઓ ગમે તો લાઈક, શેર, અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. https://youtu.be/rDZ40gkkZRs